Yog Viyog book and story is written by Kajal Oza Vaidya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Yog Viyog is also popular in સામાજિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
યોગ વિયોગ - નવલકથા
Kajal Oza Vaidya
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
“...અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ... જૂજવે રૂપે અનંત ભાસે... દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું... શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે...” ‘શ્રીજી વિલા’ની સવાર રોજ આમ જ પડતી. સવારે સાડા છ વાગ્યે તમે ઘડિયાળ મેળવી શકો એટલી નિયમિતતાથી વસુમાના અવાજમાં ભજન ગુંજવા લાગતું. નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં હોય કે કબીરના દોહા, ‘શ્રીજી વિલા’ની સવાર વસુમાના અવાજના અલાર્મથી પડતી.
આ અવાજને આસપાસનાં ઘરોમાં વસતા ગુજરાતીઓ ‘વસુમા’ કહીને સંબોધતા. છેલ્લા અઢી દાયકાથી વસુમા અહીં જ, ‘શ્રીજી વિલા’માં વસતાં હતાં. આસપાસનો વિસ્તાર પચીસ વર્ષમાં બાળકમાંથી યુવાન થઈ ગયો હતો. વિલે પાર્લેના પશ્ચિમ વિસ્તારના રેલવેસ્ટેશનની નજીક કોઈ એક જમાનામાં સુંદર નાના નાના બંગલાઓ હતા. ધીમે ધીમે બિલ્ડરોએ એમાંથી ફ્લેટ્સની સ્કિમ્સ ઊભી કરતાં કરતાં સાવ ગણ્યા ગાંઠ્યા બંગલાઓ હજી બંગલાના સ્વરૂપમાં ઊભા છે. વિલે પાર્લે સ્ટેશનથી એસ.વી. રોડ સુધી બધું જ બદલાઈ ગયું હતું. સાઉથ ઇન્ડિયન ઉડિપીની જગ્યાએ મેકડૉનાલ્ડ્સ આવી ગયું હતું, પરંતુ ‘શ્રીજી વિલા’ અને સાડા છ વાગ્યે ગુંજતો વસુમાનો એ અવાજ ત્યાં જ, એમ ના એમ જ હતા !
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ - ૧ “...અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ... જૂજવે રૂપે અનંત ભાસે... દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું... શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે...” ‘શ્રીજી વિલા’ની સવાર રોજ આમ જ પડતી. સવારે સાડા છ વાગ્યે તમે ...વધુ વાંચોમેળવી શકો એટલી નિયમિતતાથી વસુમાના અવાજમાં ભજન ગુંજવા લાગતું. નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં હોય કે કબીરના દોહા, ‘શ્રીજી વિલા’ની સવાર વસુમાના અવાજના અલાર્મથી પડતી. આ અવાજને આસપાસનાં ઘરોમાં વસતા ગુજરાતીઓ ‘વસુમા’ કહીને સંબોધતા. છેલ્લા અઢી દાયકાથી વસુમા અહીં જ, ‘શ્રીજી વિલા’માં વસતાં હતાં. આસપાસનો વિસ્તાર પચીસ વર્ષમાં બાળકમાંથી યુવાન થઈ ગયો હતો. વિલે પાર્લેના પશ્ચિમ વિસ્તારના રેલવેસ્ટેશનની નજીક કોઈ એક જમાનામાં
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ - ૨ વિલે પાર્લે સ્ટેશનની પાસે લીલાછમ બગીચાની વચ્ચોવચ આવેલા ‘શ્રીજી વિલા’ની સવાર આજે બહુ સારી નહોતી જ પડી. વૈભવી જે બોલી એનાથી અલય અને અજય નાસ્તો કર્યા વિના જ પોતપોતાના રસ્તે પડી ગયા. ...વધુ વાંચોખાધું-ન ખાધું કરીને બહાર નીકળી ગઈ. આદિત્યે દાદીમાની માફી તો માગી પણ, આ આખીય ઘટનામાં એનું ય દિલ દુભાયા વિના નહોતું રહ્યું... અને, સૌથી વધારે દિલ દુભાયું હતું વસુમાનું. આટલાં વરસો એમણે કદીય પોતાનો વિચાર જ નહોતો કર્યો. આ ઘર, આ કુટુંબ અને બાળકો માટે જ જીવ્યા હતા એ. એમને શું ગમે છે અથવા એમને શું જોઈએ છે, એવું વિચારવાનો
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ - ૩ “હલો.. ” એમણે કહ્યું અને સામેથી જવાબ આવે ત્યાં સુધીમાં તો એમનું હૃદય બમણી ઝડપે ધડકી રહ્યું. લોહી નસોમાં જે વેગથી ફરવા લાગ્યું હતું, એનાથી એમને લાગ્યું કે હવે લોહી નસો ફાડીને ...વધુ વાંચોપર વહેવા લાગશે. વૈભવી પોતાના કમરામાંથી બહાર નીકળીને સીડી પર આવીને ઊભી. જાનકી પણ પોતાના રૂમમાંથી નીકળીને દરવાજે આવીને ઊભી. અજય ઊભો તો ન થયો પણ એનું સમગ્ર અસ્તિત્વ ફોનની બાજુમાં જઈને ઊભું હતું. “હલો... ” વસુમાએ ફરી જોરથી બૂમ પાડી અને બધા સામેથી આવનારા જવાબની રાહ જોઈ રહ્યા. ‘હેલ્લે મા...’ અલય હતો. ‘‘અલય !’’ વસુમાએ કહ્યું અને સૌ પોતપોતાના
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ - ૪ ફોન કપાઈ ગયો હતો. સૂર્યકાંત ક્યાંય સુધી કપાઈ ગયેલા ફોનની ઘરઘરાટી સાંભળતો રહ્યો અને પછી એણે ફોન પછાડ્યો.... કોફી લઈને રૂમમાં આવતી લક્ષ્મીની રાખોડી આંખોમાં એક તરલ ભાવ હતો. એના સોનેરી વાળ ...વધુ વાંચોહતા. એણે પહેરેલી ઘુંટણથી સહેજ ઊંચી શોર્ટ્સમાંથી એના લાંબા પાતળા અમેરિકન લેગ્સ અને પાતળી દોરીવાળા નાઈટ શુટના ટોપમાંથી એની ગોરી અમેરિકન ચામડી દેખાતી હતી. લક્ષ્મી લગભગ સૂર્યકાન્ત જેટલી ઊંચી હતી. એણે રૂમમાં દાખલ થઈને સૂર્યકાન્તને ફોન પછાડતો જોયો. એણે સૂર્યકાન્તની સામે જોયું. “ડેડ, એની થિંગ રોંગ?” “કમ હીયર માય ચાઈલ્ડ.” સૂર્યકાન્તે કહ્યું. લક્ષ્મીએ કોફીની ટ્રે મૂકીને સૂર્યકાન્તની નજીક આવી. સૂર્યકાન્તએ
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ - ૫ ધ્રૂસકે ધ્રૂસકે રડતી અંજલિની પીઠ પર વસુમાનો હેતાળ હાથ ફરી રહ્યો હતો. વૈભવી મનોમન આગ લગાડવાની પોતાની તરકીબ કામ ન લાગી એમ વિચારીને અકળાઈ રહી હતી. જાનકીએ વસુમાના શબ્દો સાંભળ્યા, “આવતી કાલે ...વધુ વાંચોમારી અડતાલીસ કલાકની મુદત પૂરી થાય છે. બેટા, જો આવતી કાલ સવાર સુધી તારા પિતા નહીં આવે તો હું મંગળસૂત્ર ઉતારીને મૂકી દઈશ. આપણે કાશી જઈને એમના શ્રાદ્ધની વિધિ કરી દઈશું. એ પછી એ આવે તો પણ...” જાનકીને આ સ્ત્રીની સ્વસ્થતા અને પરિસ્થિતિ સાથે પનારો પાડવાની આખીયે રીત બહુ નવાઈ ભરેલી લાગી. ‘કેટલી બધી સ્વાભાવિકતાથી એણે સત્યોને સ્વીકાર્યાં હતાં !’